શૂન્ય પાલનપૂરી
કમ્પ્યુટર ઉપર ગુજરાતીમાં લખવું સહેલું નથી. મારા અમુક વાચક મિત્રોના જણાવ્યા મુજબ તેઓને મારા
બ્લોગ્સ ઉપર પોતાનો પ્રતિભાવ દર્શાવવો હતો પણ ગુજરાતીમાં ન લખી શકવાથી અચકાઈ ગયા. તો મારે એ
બાબત ઉપર થોડો પ્રકાશ નાખવો છે જેથી ભવિષ્યમાં તેઓ (અને એમના જેવા બીજાઓ) ઉત્સાહપૂર્વક આગળ વધી શકે.
પોતાના કમ્પ્યુટર ઉપર ગુજરાતીમાં લખવું અને ઈન્ટરનેટ ઉપર ગુજરાતીમાં લખવું એ બે જુદી વસ્તુઓ છે. મારા આગળના
એક બ્લોગમાં મેં ‘ધવલ શાહ’ની લિન્ક આપેલી છે. તેમાં Microsoft ની BHASHAINDIA.COM પરથી એક ફાઈલ
ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની વાત છે. આ ફાઈલ છે Gujarati Indic IME 1 file. આને ઇન્સ્ટોલ કર્યા પછી તમારા
કમ્પ્યુટર ઉપર ચાલુ સોફ્ટવેર જેવું કે MS WORD વિ. માં ગુજરાતીમાં લખી શકાશે. આ બ્લોગ ઉપર કોમેન્ટ્સ લખવા
માટે તેની જરુર નથી. મારા બ્લોગની right side panel પર Type Gujarati નામની જે લિન્ક છે તેની
ઉપર વિશાલના જણાવ્યા મુજબ પગલાં ભર્યા પછી તમે ગુજરાતી બ્લોગ્સ ઉપર કોમેન્ટ્સ લખી શકશો, એટલું જ નહીં પણ
તમારો પોતાનો બ્લોગ પણ ચાલુ કરી શકશો! આ બંને પગલાં એક જ વાર ભરવાનાં રહેશે, બસ પછી કાયમની નિરાંત.
અને આમ કર્યા પછી તમે આસાનીથી ઈન્ગ્લીશ અને ગુજરાતી વચ્ચે સ્વિચ કરી શકશો.
Microsoft Gujarati Language Pad is very difficult to use because it is not phonetic,
and does not come with an easy to use manual. I wonder how come we, as a gujarati
computer user community, not raised a hue and a cry about this by now?
I downloaded Gujarati Indic IME 1 file from BhashaIndia.com, and followed the
instructions to install it. Now while I can type in Gujarati in Title line, the typepad
is SO DIFFERENT from the one I use to write this blog, it makes me want to scream.
Since I am somewhat computer savvy, I wonder what other poor souls must be
trying to do. I couldn’t get a CHARACTER MAP to show how the gujarati alphabet
was mapped to English keyboard. Finally, I did what any self-respecting individual would
do - i.e. to prepare my own key map in excel worksheet and saved a copy in .BMP
format. It still does not explain how to write combined letters like શૂન્ય etc. What a pity!
If any reader knows where and how to protest to get phonetic keymapping done
by Microsoft, I’ll be sure to sign up. Any one??
ચાલો આપણે ગઝલોનો દૌર આગળ વધારીયે. આજે વાત કરવી છે ગઝલસમ્રાટ શૂન્ય પાલનપૂરીની.
ગઝલ લખવા વિશે શૂન્ય પાલનપુરી કહે છેઃ
દેહના કોડિયે પ્રાણની વાટને લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મ્હેફિલે દિલને રોશન કરે એવી નૂરે ગઝલ.
શૂન્યનું અસલી નામ અલીખાન બલોચ. શિક્ષક, શાયર અને પત્રકાર તરીકે તો એ ઝળક્યા જ છે; પણ સ્વર્ગસ્થ
શ્રી. ચંદ્રકાંત બક્ષીએ એમની એક આલોચનામાં જણાવ્યા મુજબ અલીખાને જ્યોર્જ ફિફ્થ ક્લ્બમાં વિકેટ કીપિંગ પણ
કર્યું છે! મુસ્લિમ હોવા છતાં હિંદુ અને સંસ્કૃત શબ્દો તથા વિચારશૈલીને કવિતામાં સહેજથી વણી લેતાં.
આજે એમના કાવ્યજીવનમાં જરા ર્ડોકિયું કરીયે. કુછ શેર અર્જ હૈ, જનાબ, મુલાહજા ફર્માઈએ!
ગમ નથી જો આંખ ના લૂછે કોઈ પાલવ હવે,
ધૈર્ય પોતે જાળવે છે દર્દનું ગૌરવ હવે.
ઝુલ્ફ કેરા વળ સમી છે ભાગ્યની ગૂંચો બધી,
માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.
સભાઓમાં છે શબ્દની બોલબાલા
નથી પૂછતું અર્થનો ભાવ કોઈ
કદર છે મને મારી ગઝલોની એથી
હવે ખુદ લખું છું ને ખુદ સાંભળું છું.
તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ,
મુજને પડી દરદની, તને સારવારની.
સમયના ગજથી જેઓ પ્રેમની આવરદા માપે છે,
સદા એ ડાઘુઓ પેઠે જીવનનો પંથ કાપે છે.
અવસ્થા મંચ બદલે તો ફરક ઝાઝો નથી પડતો,
બુઢાપો ગાય છે ગઝલો, જવાની દાદ આપે છે.
મારું હોવું કે ન હોવું દોસ્ત સરખું છે બધું,
બાદબાકી હો કે સરવાળો, ફરક પડશે નહીં.
મુજને ગુણવા ભાગવાની ભૂલથી કોશિશ ન કર,
શૂન્યમાં જે ગુમ થયો એ શોધતાં જડશે નહીં.
કામ તો મરજીવાનું સારું છે, પણ બહુ રંજ આપનારું છે;
મોતી આપ્યાનો હર્ષ છે કિંતુ મોં હજુ પણ ખારું છે.
પહાડો તોડવા પ્રેરે હવે એવા સનમ ક્યાં છે?
વહે નદીઓ કરુણાની હ્રદયમાં એ જખમ ક્યાં છે?
કરે છે બેધડક દાવો અનલહકનો બધા આજે
હવે એ મન્સૂરો ક્યાં છે? એ શૂળીની રસમ ક્યાં છે?
(’અનલહક’ એટલે “I am everything” અથવા “અહમ્ બ્રહ્માસ્મિ”)
ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ,
શંખનાદો, ઝાલરો ને બાંગના આલાપ બંધ,
મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે “હું કોણ છું?”
થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ.
મારે જોવું’તું અખંડિત દ્ર્શ્ય કિંતુ શું કરું?
આયખાના આયનામાં લાખ તીરાડો હતી.
આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો
દિલમાં કોઈની યાદનો રાજ્યાભિષેક છે.
અને હવે છેલ્લે, એમની એક આખી ગઝલ માણીયેઃ
જગે અર્પણ કર્યા કાંટા, કશું વિપરિત વિચારીને
અમે એના વડે કીધી સુરક્ષિત પ્રાણ-ક્યારીને
તમે ચાલ્યા ગયા સુની કરી દિલની અટારીને
અમે સ્થાપી છે ત્યાં મૂર્તિ સ્વરુપે ઈંતેજારીને
કરો હદથી વધુ મંથન, હળાહળ દે છે રત્નાકર
વિપદ ના વ્હોરજો, સંસારમાં તૃષ્ણા વધારીને
ગુલામી ગઈ કિનારાની, દિશાના બંધનો છૂટ્યાં
અમે નાથ્યો સમંદર, નાવ મજધારે ઉતારીને
નથી બાકી પ્રભુ પાસે, હવે મૌલિક સમું કૈં પણ
કરે છે પેશ, એના એ જ સૌ સર્જન મઠારીને
પરેશ
તા. ૨૪-૦૫-૨૦૦૮
posted in Gujarati, poems | 0 Comments




























Powered By